આપણૂં દેશી બિયારણ સાચવવાની રીત.
- ધીરે ધીરે આપણૂં દેશી બિયારણ લુપ્ત થતું જાય છે. દેશી બિયારણ એટલે દેશી કે જેમાં રોગ-જીવાતના પ્રશ્નો ઓછા રહે છે. હા, થોડું ઉત્પાદન સુધારેલ બી કરતા ઓછું રહે.
- ઉત્પાદન વધારવાની લાયમાં આપણે મોંઘુદાટ સુધારેલ બિયારણ ઉપર જતા રહ્યા છે.
- આવા સુધારેલ બિયારણો ખેડૂતો વાવણી પહેલા એડવાન્સમાં ખરીદી લેતા હોય છે અને જો વાવણી સુધી બરાબર ન સાચવીએ તો બીના ઉગાવા ઉપર માઠી અસર પડતી હોય છે.
- તેમાં ભોંટવા, રાતાસરસિયા, વાતરી જેવી જીવાત પડવાથી બીના ઉગાવા ઉપર અસર પડે છે.
- તો ચાલો જાણિયે આવા દેશી અને સુધારેલ બી વાવણી સમય સુધી કેવી રીતે સાચવિએ.
- સંગ્રહ કરતા પહેલા બીના જથ્થામાંથી તુટેલ કે ખંડિત દાણા અને ફોતરા દુર કરો.
- બીમાં ભેજ ૧૦% કરતા ઓછો રહેવો જોઇએ. બીયારણને ૩-૪ દિવસ સૂર્ય તાપમાં સુકવવું.
- થોડું બી હાથમાં લઇ મુંઠ્ઠી વાળી દબાવી રાખો અને જો આપની હથેળી ઠંડી લાગે તો સમજવું કે બીમાં હજું પણ વધારે ભેજ છે. ફરી એક-બે દિવસ સૂર્યતાપમાં સુકવો.
- સુકવેલ બિયારણને કંતાનના કે કાપડમાંથી બનાવેલ થેલીમાં ભરી કોઠારમાં મૂંકો.
- હવાચુસ્ત કોઠારમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના પાઉચ (૧૦ ગ્રામ પ્રતિ ક્વિન્ટલ) મૂંકી કોઠારને અઠવાડિયા સુધી ખોલવું નહિ.
- બીયારણમાં ક્લોરપાયરીફોસ ૧.૫%નો પાવડર (૨ થી ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા.) ભેળવી થેલી કે પીપમાં સંગ્રહ કરો.
- આવું બિયારણ વાવતા બચે તો તેનો ખાવામાં કે પશુ નિરણ માટે કદાપી ઉપયોગમાં લેવું નહિ.
- પીપમાં છુટ્ટું બી ભર્યુ હોય તો ઉપરની બાજુએ ચાળેલી રેતીનો ૩ ઇંચનો થર બનાવો.
- કોઠારમાં એક નાનું લાઇટટ્રેપ મૂંકવું.
- શાકભાજીના ખરીદેલ બીના પેકેટ વાવણી સુધી ફ્રીઝમાં સાચવી રાખવા.
- કઠોળવર્ગ પાકમાંથી બી સાચવવાનું હોય તો કાપણી પહેલા એકાદ દવાનો છંટકાવ કરવો.
- દૂધનો પાવડર કાપડની કોથળીમાં ભરી મૂંકી રાખવાથી તે વધતા ભેજનું નિયંત્રણ કરશે.
