💠 ફોસ્ફરસનું મહત્વઃ
- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે ATP ના બંધારણ
- થડના મજબૂત વિકાસ માટે પ્રકાશસંશ્લેષણમાં મહત્વનો રોલ
- મૂળનો વિકાસ અને વૃધ્ધિ કરે અને મજબૂત બનાવે છે
- શર્કરા સ્ટાર્ચના વહનમાં જરૂરી છે.
- અનેક શાખાઓ કુટે છે, ફળ-ફુલ અને બીજમાં વધારો થાય છે તથા પાકને પકવવામાં મદદરૂપ છે.
- ફોસ્ફરસ રાઇઝોબિયમ ગ્રંથીઓ વધારે છે.
- એક પેઢીથી બીજી પેઢીમાં ગુણ-ચરિત્રના સ્થાળાંતર માટે જરૂરી છે.
- રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
- પશુઓના પોષણમાંમહત્વપૂર્ણ છે.
💠 ફોસ્ફરસની ઉણપનાં લક્ષણો :
- ફોસ્ફરસની ઉણપથી છોડ સાધારણ, પાતળો અને સીધો રહે છે.
- છોડમાં પાન દુર-દુર તેમજ નાના થાય છે. (વિકાસ ઓછો રહે છે)
- છોડમાં ડાળીઓની કુટ રૂંધાય છે.
- છોડના પાન અને થડ આછા જાંબુડીયા રંગના જોવા મળે છે. વિષમ પરિસ્થિતિમાં પાન કાળાશ પડતા રાતા દેખાય છે અને પાનના પાછળના ભાગમાં લાલ ડાઘા પડેલ જોવા મળે છે.
- પાંદડાની કિનારીઓ જાંબુડીયા રંગના ટપકાવાળી અને પછી થી જાંબુડીયા મોટા ડાઘા ઉપસી આવે છે.
- પાકનો વિકાસ અટકી જાય છે અને મુળીયા નબળા/સખત બને છે.
- ધાન્ય પાકો અને શેરડીમાં બે ગાંઠો વચ્ચેનું અંતર ઘટે છે.
- છોડના નીચેના પાન ઘેરા લીલા રંગના જોવા મળે છે.
💠 નિયંત્રણ :
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ જમીનમાં ફોસ્ફરસયુક્ત ખાતરો આપવા
- દા.ત. ડીએપી અથવા એનપીકે ૧૨:૩૨:૧૬, અથવા એનપીકે ૧૦:૨૬:૨૬:
- સેન્દ્રીય ખાતરો વાપરવા. શક્ય હોય તો લીલો પડવાશ કરવો.
- ફૉસ્ફરસ દ્રાવ્ય (પીએસબી) જૈવિક ખાતરની બીજ માવજત આપવી અથવા પિયત આપવું.
